Complaint સરદાર સરોવર નર્મદા નિગમ લિ ના અધિકારીઓ દ્વારા

  • Sardar Sarovar Narmada Nigam [SSNNL] Customer Care, Complaint and Reviews - સરદાર સરોવર નર્મદા નિગમ લિ ના અધિકારીઓ દ્વારા
    RABARI DASHRATH on 2020-07-18 10:09:40

    સરદાર સરોવર નર્મદા નિગમ લિ.
    ખરીફ ઋતુમાં ખેડુતો ને પાણી આપવા માટે કાર્યપાલક ઇજનેર નમઁદા યોજના નહેર વિભાગ નંબર- 7 અને નંબર-9 મા જાહેર વિજ્ઞપ્તિ જાહેરાત ક્રમાંક/સંમાનિ/અમદ/૨૨૬/૨૦૨૦ તા:-૩૦\૦૬\૨૦૨૦ ના ગુજરાત સમાચાર માં આ જાહેર વિજ્ઞપ્તિ પ્રસિદ્ધ થયેલ હતી.તેમાં સ્પષ્ટતા કરેલ છે કે શેરડી.ડાંગર અને કેળા આ તમામ પાકો માં પાણી લેવા ની સ્પષ્ટ લખાણ છે કે કોઈ એ આવા પાક માં પાણી મળશે નહી.તેવી સ્પષ્ટતા કરી છે અને તેમ છતાં નિગમ ના અધિકારીઓ દ્વારા ડાંગર ના પાક માં પુષ્કળ પ્રમાણમાં પાણી આપે છે તેનું કારણ કયું છે કે નિગમ ને અને અધિકારીઓ એ બનાવેલાં નિતિ નિયમ નુ પાલન કયૉ વિના કેમ ચોક્કસ ખેડુતો ને સાચવાય છે.તેનો મને વાંધો છે તે નો ઝડપથી જવાબ આપવા આપને વિનંતી છે.

    "જય જવાન જય કિશાન"

    લિ.
    આપનો વિશ્વાસુ
    રબારી દશરથ.આર